સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ

18 June, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશ્મીરી પંડિતો સાથે થયેલી ઘટનાને તેણે ગાયના સ્મગલિંગ સાથે સરખાવતાં થઈ રહ્યો છે વિરોધ

સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ

સાઉથની ઍક્ટ્રેસ સાઈ પલ્લવી વિરુદ્ધ હાલમાં જ પોલિસ ફરિયાદ કરવામાં આવી છે. તેણે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટને પગલે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તેની તેલુગુ ફિલ્મ ‘વિરાતા પર્વમ’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેણે એક ઇન્ટવ્યુ આપ્યું હતું. આ યુટ્યુબ ઇન્ટરવ્યુમાં તેણે કાશ્મીરી પંડિતોને જે નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા એ ઘટનાને ગાયની સ્મગલિંગ કરતા લોકો સાથે સરખાવી હતી. આ વિશે પલ્લવીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરીઓને જે રીતે મારી નાખવામાં આવ્યા હતા એના પર બનાવવામાં આવી હતી. હાલમાં જ એક ઘટના બની હતી જેમાં એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો હતો. તે ગાયને લઈને જઈ રહ્યો હતો અને તે મુસ્લિમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેને જે લોકોએ મારી નાખ્યો એ લોકો જય શ્રી રામનો નારો લગાવી રહ્યા હતા. કાશ્મીરમાં જે થયું એ અને હાલમાં જે થયું બન્ને વચ્ચે શું ફરક છે?’
સાઈ પલ્લવીની આ કમેન્ટને લઈને હૈદરાબાદનું બજરંગ દળ ગુસ્સે થઈ ગયું છે અને તેમણે પોલસ-ફરિયાદ પણ કરાવી છે. તેમણે સાઈ પલ્લવીને માફી માગવા કહ્યું છે અને એ પણ ખાસ કરીને કાશ્મીરી પંડિતોની. તેમણે એવી પણ ધમકી આપી છે કે જો તેણે માફી નહીં માગી તો પરિસ્થિતિ જલદી જ કાબૂ બહાર જઈ શકે છે.

bollywood news bollywood bollywood gossips entertainment news