છિછોરે બાદ સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી ફરી સાથે કામ કરશે

12 September, 2019 01:11 PM IST  |  મુંબઈ

છિછોરે બાદ સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી ફરી સાથે કામ કરશે

સાજિદ નડિયાદવાલા

‘છિછોરે’ની સફળતા બાદ નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલા ફરી સાથે કામ કરશે. પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભવિષ્યની ફિલ્મ માટે નિતેશ તિવારીને સાઇન કરી લીધા છે. આ ફિલ્મની સ્ટોરી હજી સુધી ફાઇનલ નથી, પરંતુ એના પર તેઓ સાથે કામ કરશે. ફિલ્મ વિશે વાત કરતાં સાજિદે કહ્યું હતું કે ‘અમારી ‘છિછોરે’ પર અમને પહેલેથી વિશ્વાસ હતો. આ ફિલ્મ વર્ષોથી પાઇપલાઇનમાં હતી. ‘દંગલ’ પહેલાં હું અને નિતેશ આ ફિલ્મ વિશે ચર્ચા કરતાં હતાં. એ સમયે આ ફિલ્મની સ્ટોરી એક લાઇનમાં હતી. જોકે સમયની સાથે સ્ટોરી પર કામ કરતાં ગયા અને લોકો આજે તેને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.’

આ પણ વાંચો : રૅમ્બોની સ્ટોરી વર્તમાન સમયની છે : સિદ્ધાર્થ આનંદ

ફિલ્મને ખૂબ જ સારો રિસપોન્સ મળી રહ્યો છે. તેમ જ ઘણાં લોકો સાજિદ અને નિતેશ તિવારીને ફોન કરીને સુભેચ્છા આપી રહ્યાં છે. સાજિદ નડિયાદવાલા તેના ફ્રેન્ડ્સ સાથે રિયુનિયન કરી આ ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યો છે. નિતેશ તિવારી સાથે ફરી સાથે કામ કરવા વિશે સાજિદે કહ્યું હતું કે ‘હાં, મેં તેમને ફરી સાઇન કર્યાં છે. નિતેશ સાથે ફરી એકવાર કામ કરવું મારા માટે એક ટ્રીટ સમાન છે. તે એક ખૂબ જ સારો ડિરેક્ટર છે અમે દર્શકો માટે ફરી એક નવી સ્ટોરી
લઈને આવીશું.’

sajid nadiadwala nitesh tiwari bollywood news