ઈદ દરમ્યાન નહીં રિલીઝ થાય ઇન્શાલ્લાહ

28 August, 2019 10:51 AM IST  |  મુંબઈ

ઈદ દરમ્યાન નહીં રિલીઝ થાય ઇન્શાલ્લાહ

ઇન્શાલ્લાહ

‘ઇન્શાલ્લાહ’ની રિલીઝની તારીખ પાછળ ધકેલાતાં આ ફિલ્મ હવે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે નહીં. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન લગભગ બે દાયકા બાદ ‘ઇન્શાલ્લાહ’માં કામ કરી રહ્યા છે. આ અગાઉ આ બન્નેએ ૧૯૯૯માં આવેલી ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાય બચ્ચન કઈ બ્યુટી ટિપ્સ આપવા માગે છે આરાધ્યાને?

‘ઇન્શાલ્લાહ’૨૦૨૦ની ઈદમાં રિલીઝ થવાની હતી. જોકે ફિલ્મની રિલીઝની તારીખ કેમ પાછળ ધકેલવામાં આવી એ વિશે ચોક્કસ માહિતી મળી શકી નથી. ફિલ્મ વિશે ટ્‍‍વિટર પર સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘સંજય લીલા ભણસાલી સાથેની ફિલ્મની રિલીઝ ડેટ ઠેલવામાં આવી છે. જોકે હું તમને બધાને ૨૦૨૦ની ઈદમાં મળીશ. ઇન્શાલ્લાહ.’

Salman Khan alia bhatt sanjay leela bhansali bollywood news