'નાયક' ફિલ્મની જેમ CM બનાવવાની ફૅન્સની અપીલ પર અનિલ કપૂરે કહ્યું...

01 November, 2019 11:19 AM IST  |  મુંબઈ

'નાયક' ફિલ્મની જેમ CM બનાવવાની ફૅન્સની અપીલ પર અનિલ કપૂરે કહ્યું...

અનિલ કપૂર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ પર અનિલ કપૂરને બેસાડવાની ફૅન્સની અપીલ પર તેણે જણાવ્યું છે કે તે નાયક જ ઠીક છે. અનિલ કપૂર ‘નાયક’માં એક દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યો હતો. એથી જ મહારાષ્ટ્રમાં ચીફ મિન‌િસ્ટરના પદ પર ચાલી રહેલી અવઢવને ઉકેલવા માટે અનિલ કપૂરના ફૅન્સ તેને મુખ્ય પ્રધાન બનાવવાની તરફેણમાં છે. એવામાં તેના ફૅન્સ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યાં સુધી કોઈ માર્ગ નથી નીકળતો ત્યાં સુધી અનિલ કપૂરને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. પડદા પર તેમના એક દિવસના કાર્યકાળને તો પૂરા દેશે જોયો અને તેમની પ્રશંસા પણ કરી છે.

આ પણ વાંચો : ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ક્લૅપ આપી આમિર ખાનની મમ્મીએ

દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે, તમારું શું કહેવું છે? ફૅન્સની આ વિનંતી પર રિપ્લાય આપતાં ટ્‍‍વિટર પર અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે હું નાયક જ ઠીક છું. 

anil kapoor bollywood news