13 November, 2019 12:08 PM IST | Mumbai
કાર્તિક આર્યન-જાન્હવી કપૂર
દિલ્હીમાં પ્રદુષણનાં વધતા સ્તરને કારણે ‘દોસ્તાના 2’નું શૂટિંગ કૅન્સલ કરવામાં આવ્યુ છે. કરણ જોહરની આ ફિલ્મમાં કાર્તિક આર્યન, જાહ્નવી કપૂર અને નવોદિત કલાકાર લક્ષ્ય પણ જોવા મળશે. શહેરમાં પ્રદુષણ એટલી હદે વધી ગયુ છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. ચારેય બાજુ ધુમ્મસ પથરાયેલુ છે. આ ફિલ્મનું શૂટિંગ તાજતેરમાં જ શરૂ કરવામાં આવ્યુ હતું.
આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર
જોકે ફિલ્મની ટીમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સાથે જ વિઝીબિલીટી પણ ઓછી હોવાને કારણે શૂટિંગ કરવુ અશક્ય છે. એથી જ્યાં સુધી સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી આ ફિલ્મનું શૂટિંગ મોકુફ રાખવામાં આવ્યુ છે. થોડા દિવસો અગાઉ પ્રિયંકા ચોપડા જોનસે પણ દિલ્હીમાં ફેલાયેલા પ્રદુષણનો ચિતાર વ્યક્ત કર્યો હતો. તે દિલ્હીમાં ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી હતી. તેણે મોં પર માસ્ક પહેરેલો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને દિલ્હીની સ્થિતિ જણાવી હતી.