રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

24 June, 2019 10:52 AM IST  | 

રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

રણબીર-આલિયા

આલિયા ભટ્ટે તાજેતરમાં જ રણબીર કપૂર સાથેના સંબંધોને લઈને જણાવ્યું હતું કે તેમન‌ી રિલેશનશ‌િપને નજર ન લાગે. આ બન્ને ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળવાનાં છે. બન્નેના સંબંધો પર વિસ્તારમાં આલિયાએ કહ્યું હતું કે ‘ના, આ રિલેશનશિપ નથી, આ તો ફ્રેન્ડશિપ છે. હું આ વાત પૂરી પ્રામાણિકતાથી કહી રહી છું. અમારા સંબંધો સુંદર છે. હું હાલમાં ઊંચા આકાશમાં ઊડી રહી છું. સૌથી સારી બાબત એ છે કે અમારા બન્નેની પ્રોફેશનલ લાઇફ ખૂબ જ સારી છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની ડૉન 3ને લઈને આવ્યા ખરાબ સમાચાર

અમે બન્ને સતત શૂટિંગ કરી રહ્યાં છીએ. અમે હાલમાં એવી સ્થિતિમાં નથી કે દરરોજ સાથે જોવા મળીએ. આ એક કમ્ફર્ટેબલ સંબંધની નિશાની છે. નઝર ના લાગે.’

ranbir kapoor alia bhatt bollywood news