07 January, 2023 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્કના ખાતાધારકોએ હવે ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી - નો યૉર કસ્ટમર) વિગતો અપડેટ કરવા માટે તેમની બૅન્કની શાખાઓની મુલાકાત લેવાની જરૂર નથી. જોકે તેમણે પહેલેથી જ માન્ય દસ્તાવેજો સબમિટ કર્યા છે અને સરનામું બદલ્યું નથી તેમને માટે આ લાગુ પડશે એમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.
બૅન્કો એને બદલે જો કેવાયસી માહિતીમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તેઓ ઈ-મેઇ, આઈડી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, એટીએમ અથવા અન્ય કોઈ પણ ડિજિટલ ચૅનલ દ્વારા સ્વ-ઘોષણા સબમિટ કરી શકે છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બૅન્કોએ કેવાયસી અપડેટ માટે શાખાની મુલાકાતનો આગ્રહ ન રાખવો જોઈએ. એ માટે રિઝર્વ બૅન્કે માર્ગદર્શિકા જારી કરી હતી.
હાલની માર્ગદર્શિકા મુજબ જો કેવાયસી માહિતીમાં કોઈ ફેરફાર ન થયો હોય તો એ અસર માટે વ્યક્તિગત ગ્રાહક તરફથી સ્વ-ઘોષણા ફરીથી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતી છે.
બૅન્કોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વ્યક્તિગત ગ્રાહકોને વિવિધ નૉન-ફેસ-ટુ-ફેસ ચૅનલો જેમ કે રજિસ્ટર્ડ ઈ-મેઇલ-આઇડી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, એટીએમ, ડિજિટલ ચૅનલ્સ (જેમ કે ઑનલાઇન બૅન્કિંગ/ઇન્ટરનેટ) દ્વારા આવા સ્વ-ઘોષણાની સુવિધા પ્રદાન કરે. બૅન્કિંગ, મોબાઇલ ઍપ્લિકેશન), પત્ર વગેરે. બૅન્ક શાખાની મુલાકાત લેવાની જરૂર વગર આ શક્ય બનાવવું એમ જણાવાયું હતું.
આરબીઆઇએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ, ૨૦૦૨ (પીએમએલએ)નું પાલન કરવા માટે સમયાંતરે સમીક્ષાઓ અને અપડેટ્સ હાથ ધરીને બૅન્કોને તેમના રેકૉર્ડ્સ અદ્યતન અને સુસંગત રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે.
અમુક કિસ્સામાં ગ્રાહકો નવી કેવાયસી પ્રક્રિયા બૅન્ક શાખાની મુલાકાત લઈને અથવા દૂરસ્થ રીતે વિડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા (વી-સીઆઇપી) દ્વારા કરી શકાય છે (જ્યાં પણ બૅન્કો દ્વારા એને સક્ષમ કરવામાં આવી છે) એમ પણ બૅન્કે જણાવ્યું હતું.