યુવરાજ-શ્રીસાન્ત પાછા આવી રહ્યા છે

16 December, 2020 03:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુવરાજ-શ્રીસાન્ત પાછા આવી રહ્યા છે

યુવરાજ સિંહ

વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ રિટાયરમેન્ટ પાછું ખેંચીને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ફરી રમતો જોવા મળશે એવું લાગી રહ્યું છે. આવતા મહિને રમાનારી નૅશનલ ટુર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટમાં પંજાબ ટીમે ગઈ કાલે જાહેર કરેલી ૩૦ સંભવિત ખેલાડીઓની યાદીમાં યુવરાજ સિંહનો સમાવેશ થયો છે, જ્યારે બીજી તરફ આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગના મામલે સજા પૂરી કરીને પેસબોલર એસ. શ્રીસાન્ત પણ ક્રિકેટના મેદાનમાં પાછો ફરી રહ્યો છે. કેરલા ટીમે ગઈ કાલે જાહેર કરેલા ૨૬ સંભવિત ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

sports sports news cricket news yuvraj singh s sreesanth sreesanth