યુવરાજની સાથે આ ભારતીય ક્રિકેટર કેનેડાની ગ્લોબલ ટી20 સીરિઝમાં રમશે

21 June, 2019 10:27 PM IST  |  Mumbai

યુવરાજની સાથે આ ભારતીય ક્રિકેટર કેનેડાની ગ્લોબલ ટી20 સીરિઝમાં રમશે

Mumbai : હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઇ ચુકેલા દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ હવે કેનેડામાં રમાનાર ટી20 સીરિઝમાં રમશે. કેનેડામાં રમાનાર ટી20 સીરિઝ ગ્લોબલ ટી20 સીરીઝમાં યુવરાજસિંહ રમશે. યુવરાજસિંહ નેશનલ્સે માર્કી પ્લેયર તરીકે ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે. ટોરન્ટો ટીમને ટ્વીટરના માધ્યમથી યુવરાજને પોતાની સાથે જોડવાની જાહેરાત કરી છે.

યુવરાજની સાથે આ ક્રિકેટર પણ રમશે
મળતી માહિતી મુજબ યુવરાજ સિંહ જ નહીં ભારતના બીજા એક ક્રિકેટર પણ છે જેણે આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ક્રિકેટર છે પંજાબના મનપ્રીત સિંહ ગોની, મનપ્રીત ભારત માટે બે વનેડ ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે.

આઇપીએલમાં ધોનીની ચેન્નઇ ટીમનો સભ્ય રહી ચુક્યો છે
બે વનડે ઈન્ટરનેશનલ ઉપરાંત મનપ્રીત આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે પણ રમી ચૂક્યા છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

જો ગોની ઘરેલુ ક્રિકેટમાં પંજાબ માટે 61 ફર્સ્ટ ક્લાસ, 55 લિસ્ટ અને 90 ટી20 મેચ પણ રમી ચૂક્યા છે. જોકે એ બીસીસીઆઈ પર નિર્ભર કરે છે કે ગ્લોબલ ટી20 લીગમાં યુવરાજ અને ગોનીને ભાગ લેવાની મંજૂરી આપવી કે નહીં. બીજી તરફ લીગના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે, ટોરન્ટો નેશનલ્સે ગ્લોબલ્સ ટી20 લીગ માટે યુવરાજ સિંહ સાથે કરાર કર્યા છે.

cricket news yuvraj singh