તમે જે પ્રમાણે રમો છો એ પ્રમાણે કોચિંગ ન કરી શકો: બાંગર

23 May, 2020 05:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તમે જે પ્રમાણે રમો છો એ પ્રમાણે કોચિંગ ન કરી શકો: બાંગર

ફાઈલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ સંજય બાંગરનું કહેવું છે કે જ્યારે કોઈ પ્લેયર કોચ બને છે ત્યારે તેણે પોતે રમેલી ગેમને ભૂલીને આગળ વધવાનું હોય છે. સંજય બાંગર ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના બૅટિંગ-કોચપદે કાર્યરત રહ્યો હતો. કોચિંગ વિશે કહેતાં સંજય બાંગરે કહ્યું કે ‘ઘણી વાર સારી લેવલે રમતા પ્લેયર્સ ઍવરેજ ક્ષમતા ધરાવતા પ્લેયરોને સમજી નથી શકતા. કોચિંગ આપતા સમયે અમે હંમેશાં અમારા ભૂતકાળને ભૂલીને ભવિષ્યના પ્લેયરોને ઘડતા હોઈએ છીએ. ખરું કહું તો જે રીતે તમે રમ્યા હો છો એ પ્રમાણે તમે કોચિંગ નથી કરાવી શકતા.’

sports sports news cricket news sanjay bangar