15 June, 2021 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
18 જૂનતી સાઉથમ્પ્ટનમાં થનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ માટે બીસીસીઆઇએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં મયંક અગ્રવાલને જગ્યા નથી મળી. આ સિવાય અક્ષર પટેલ પણ 15 સભ્યોની ટીમનો ભાગ નથી. વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઋષભ પંત અને ઋદ્ધિમાન સાહા બન્નેને સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ પણ આ 15 જણની ટીમનો ભાગ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, આજિંક્ય રહાણે (વાઇસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.