KKRની ટીમ જે પણ ટુર્નામેન્ટમાં હશે એ હું રમવા માગીશ: સુનીલ નારાયણ

28 May, 2020 09:31 AM IST  |  New Delhi | Agencies

KKRની ટીમ જે પણ ટુર્નામેન્ટમાં હશે એ હું રમવા માગીશ: સુનીલ નારાયણ

સુનીલ નારાયણ

વેસ્ટ ઇન્ડીઝના સ્પીનર સુનીલ નારાયણ આઇપીએલમાં ૨૦૧૨થી કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે રમી રહ્યો છે અને કૅરેબિયન પ્રીમિયર લીગમાં પણ તે ટ્રીન્બાગો નાઇટ રાઇડર્સ માટે રમી રહ્યો છે જે કેકેઆરની જ પેરન્ટ કંપનીની માલિકીની ટીમ છે. કેકેઆર માટેની પોતાની લાગણી વ્યક્ત કરતાં સુનીલે કહ્યું કે ‘જે પણ ટુર્નામેન્ટમાં કેકેઆર પોતાની ટીમ ધરાવતી હશે ત્યાં એના માટે હું રમવા માગીશ. પૈસાની કોઈ વાત નથી. માત્ર તેમની ટીમ જે-તે ટુર્નામેન્ટમાં હોય ત્યાં એ ટીમનો ભાગ બનવાનું હું પસંદ કરીશ. ભારતમાં તે લોકો જે પ્રમાણે હાથ ખોલીને તમારું સ્વાગત કરે છે એ કમાલ છે, કારણ કે તે લોકો માણસ તરીકે તમને ઘણો પ્રેમ આપે છે. તમને શું ગમે છે, શું નથી ગમતું એ દરેક વાતનું તે લોકો ખાસ ધ્યાન રાખે છે અને તમને કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવે છે. હું આઇપીએલ રમવા ભારત જવા નીકળું છું ત્યારે મને એવું લાગે છે કે હું મારા બીજા ઘરે જવા નીકળી રહ્યો છું. મારા માટે આ મિત્રતા નથી, પણ પરિવાર છે. સવારના ચાર વાગ્યા હોય કે બપોરના બાર વાગ્યા હોય, તેમના વગર એવું લાગે છે કે હું કંઈક મિસ કરી રહ્યો છું.’

sunil narine cricket news sports news west indies kolkata knight riders