ઇશાન્તની ઇન્જરી એનસીએ માટે વેક-અપ કૉલ

02 March, 2020 03:11 PM IST  |  Mumbai Desk

ઇશાન્તની ઇન્જરી એનસીએ માટે વેક-અપ કૉલ

ઇશાન્ત શર્મા

ઇશાન્ત શર્માને થયેલી ઇન્જરી પર ફરીથી ઇન્જરી થવાને લીધે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) પર ફરીથી સવાલ ઊભા થઈ રહ્યા છે. આ બાબતે ભારતીય ક્રિકેટ બોર્ડનું માનવું છે કે એનસીએના વડા રાહુલ દ્રવિડે આ દિશામાં જવાબદારી લઈ આગળ વધવું જોઈએ.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું કે ‘ઇશાન્તને જ્યારે ફિટ જાહેર કરવામાં આવ્યો ત્યારે તેના સ્કેન રિપોર્ટમાં શું ફેરફાર કરવામાં આવ્યા હતા એ જોવા જેવું રહેશે. રાહુલ દ્રવિડ એક સન્માનીય પ્લેયર છે અને તેમની ટીકા કે નિંદા કરવાનો કોઈ ઇરાદો નથી, પણ કોચિંગ અને મેન્ટોરિંગ માટેના નિર્ણય અને કામકાજ અંગેના તેમના નિર્ણયની જરૂરથી સમીક્ષા કરવી જોઈએ. એનસીએમાં રાહુલ દ્રવિડ અંતિમ નિર્ણય લેનારા છે માટે કોઈ પણ નિર્ણય અને પ્રક્રિયાની જવાબદારી તેમણે લેવી જોઈએ.’

sports sports news cricket news ishant sharma