બિહાર ક્રિકેટમાં જૂથબાજીને લીધે એકને બદલે બે ટીમની જાહેરાત

29 December, 2020 03:25 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહાર ક્રિકેટમાં જૂથબાજીને લીધે એકને બદલે બે ટીમની જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

આગામી નૅશનલ ટી૨૦ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બિહાર ક્રિકેટ સંઘે એક નહીં પણ બે ટીમની જાહેરાત કરવી પડી છે. એનું કારણ છે સંઘમાં ચાલી રહેલી જૂથબાજી. સંઘનાં બે અલગ-અલગ જૂથ સહમત ન થઈ શકતાં બે અલગ-અલગ ટીમ જાહેર કરવામાં આવી હતી અને બન્ને ટીમના કૅપ્ટન પણ અલગ-અલગ છે. લાંબા સમયથી અંદરોઅંદર ચાલી રહેલી બિહાર ક્રિકેટની જૂથબાજી આ સાથે જાહેરમાં આવી ગઈ છે. હવે ક્રિકેટ બોર્ડે નક્કી કરવાનું છે કઈ ટીમને ટુર્નામેન્ટમાં રમાડવી. સંઘના અધ્યક્ષ રાકેશકુમાર તિવારીએ છેલ્લાં બે વર્ષથી બિહાર ટીમની કમાન સંભાળનાર આશુતોષ અમન પર ભરોસો મૂકીને ટીમ જાહેર કરી છે જ્યારે સેક્રેટરીઅે કેશવકુમારના નેતૃત્વમાં ટીમ સિલેક્ટ કરી છે. બન્નેએ દાવો કર્યો છે કે ટુર્નામેન્ટમાં તેમની ટીમ જ રમશે. હવે ક્રિકેટ બોર્ડ કઈ ટીમને માન્યતા આપે છે એની ખબર બીજી જાન્યુઆરીએ પડશે.

sports sports news cricket news