વિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત

24 February, 2021 11:33 AM IST  |  Mumbai

વિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

હાલ ચાલી રહેલી વિજય હઝારે વન-ડે ટુર્નામેન્ટમાં ત્રણ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત આવ્યા બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. વિજય હઝારે ટુર્નામેન્ટ પણ અન્ય મૅચની જેમ બાયો-બબલમાં રમાઈ રહી છે છતાં ખેલાડીઓ કોરોના-પૉઝિટિવ હોવાના કિસ્સા જોવા મ‍ળ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રની ટીમનો એક-એક ખેલાડી કોરોનાગ્રસ્ત છે અને તેમને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશની ટીમ હાલમાં જયપુર છે, જ્યારે બિહારની ટીમ બૅન્ગલોર છે. ખેલાડી કોરોના પૉઝિટિવ થતાં બિહારની ટીમને પણ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમના ૨૨ ખેલાડીઓની પણ ફરી પાછી ટેસ્ટ કરવામાં આવશે. 

vijay hazare trophy coronavirus covid19 sports news cricket news