કોરોના સામેનો જંગ હજી ઘણો બાકી છે : રવીન્દ્ર જાડેજા

16 May, 2020 01:06 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોના સામેનો જંગ હજી ઘણો બાકી છે : રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા

ઇન્ડિયન ક્રિકેટ ટીમને મુસીબતના સમયે મદદ કરનાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું કહેવું છે કે કોરોના સામેની આપણી લડાઈ હજી બાકી છે. દેશમાં અત્યાર સુધી કુલ ૮૧,૦૦૦થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. આથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો અપલોડ કરી જાડેજાએ કહ્યું કે ‘કોવિડ-19 સામે લડવા હું મારા ઘરે છું, તમે?’ 

આ વિડિયોની કૅપ્શનમાં જાડેજાએ લખ્યું છે, ‘કોવિડ-19 સામેનો આ જંગ હજી બાકી છે. લોકોનાં જીવન બચાવવા માટે આપણે ઘરે રહેવાનું છે.’

sports cricket news sports news ravindra jadeja