13 July, 2020 03:20 PM IST | Mumbai Desk | Agencies
ભુવનેશ્વર કુમાર
બૉલ પર થૂંક લગાડવાના પ્રતિબંધ સામે પોતાનો મત આપતાં ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું કહેવું છે કે વિશ્વમાં બધે પરસેવો થાય એવું જરૂરી નથી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા નિયમ અનુસાર બોલરો બૉલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કરી નહીં શકે. આ નિયમ પર પોતાનો મત પ્રગટ કરતાં ભુવનેશ્વરે કહ્યું કે ‘વિશ્વમાં તમને બધે જ પરસેવો થાય એ જરૂરી નથી અને એને કારણે કદાચ બોલરો માટે આ એક સમસ્યા બની રહેશે. આશા કરું છું કે બધું જલદીથી થાળે પડે. આશા કરું છું કે આઇસીસી બૉલને ચમકાવવા માટે કોઈ આર્ટિફિશ્યલ પદ્ધતિ લાગુ કરે. ઇંગ્લૅન્ડ જેવી જગ્યાએ જ્યાં તમે બૉલ સ્વિંગ કરી શકો છો એવી જગ્યાએ તમને થૂંકની જરૂર પડે છે. સ્પિનરોને પણ એની જરૂર હોય છે.’