પહેલી ટેસ્ટમાં જે રીતે જીત મળી એનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે:જો રૂટ

14 August, 2020 12:57 PM IST  |  Mumbai Desk | Agencies

પહેલી ટેસ્ટમાં જે રીતે જીત મળી એનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે:જો રૂટ

જો રૂટ

ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મૅચ ગઈ કાલથી શરૂ થઈ હતી. મૅચ પહેલાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના કપ્તાન જો રૂટનું કહેવું હતું કે પહેલી ટેસ્ટમાં જે રીતે જીત મળી હતી એનાથી અમારી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જો રૂટે કહ્યું કે ‘અમારા માટે સૌથી સારી વાત એ છે કે અમે જ્યારે પણ અમારા વ્યક્તિગત સ્ટાન્ડર્ડથી નીચે ઊતરી ગયેલા અનુભવીએ છીએ ત્યારે પણ અમે જેમતેમ કરીને મૅચ પોતાના નામે કરી શકીએ છીએ. પહેલી મૅચમાં છેલ્લા દિવસે અમારા પ્લેયરોની સ્કિલ ખીલી ઊઠી હતી અને કવૉલિટી દેખાઈ હતી. ક્યારેક અમારી સ્માર્ટનેસ પણ એમાં દેખાઈ આવે છે. મારા ખ્યાલથી જોસ બટલર અને વૉક્સની પાર્ટનરશિપે મહત્ત્વની ભાગીદારી બનાવી હતી. નવા બૉલ સાથે રમવું જરા જોખમી હતું, પણ તેમણે થોડું-ઘણું રિસ્ક લઈને મૅનેજ કરી લીધું. ત્રણ દિવસમાં હાલત ખરાબ થયા બાદ પણ મૅચ જીતી જવી એ ઘટનાથી અમારા પ્લેયર્સમાં આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. તમે જ્યારે સારું પર્ફોર્મ નથી કરી શકતા છતાં જીત મેળવી જાઓ છો તો એ વાત ઘણી સારી કહેવાય. ભવિષ્યમાં અમે આવી સ્થિતિમાં પહોંચવા નથી માગતા, પણ એ જાણીને સારું લાગે છે કે આવી પરિસ્થિતિમાંથી ટીમને બહાર લાવવામાં અમારા પ્લેયર સક્ષમ છે.’

sports sports news cricket news joe root