ઈજાગ્રસ્ત ઉમેશ અને શમીના સ્થાને રમશે નટરાજન અને શાર્દુલ

02 January, 2021 10:57 AM IST  |  Melbourne | Agency

ઈજાગ્રસ્ત ઉમેશ અને શમીના સ્થાને રમશે નટરાજન અને શાર્દુલ

નટરાજન

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના જણાવ્યા પ્રમાણે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ મૅચમાં ઈજાગ્રસ્ત ઉમેશ યાદવના સ્થાને ટી. નટરાજન અને મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મૅચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં રમાશે.

બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થયો હતો. પોતાના એક સ્ટેટમેન્ટમાં બીસીસીઆઇએ કહ્યું કે ‘બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઉમેશ યાદવને ડાબા સ્નાયુમાં દુખાવો ઊપડ્યો હતો જેના પછી તેને સ્કૅન માટે લઈ જવામાં આવ્યો હતો. છેલ્લી બે ટેસ્ટ મૅચ સુધી તે સંપૂર્ણપણે રિકવર ન થવાથી સિરીઝમાંથી બહાર થયો છે. ઑલ ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ યાદવના રિપ્લેસમેન્ટ તરીકે ટી. નટરાજનના નામની અને મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે શાર્દુલ ઠાકુરના નામની ભલામણ કરી છે.

શમી અને ઉમેશ બન્ને પ્લેયર રીહૅબિલિટેશન માટે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી જશે.’

shardul thakur india australia umesh yadav