04 January, 2021 04:25 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને હાર્ટ-અટૅકનો હળવો હુમલો આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સફળ રહી હતી. ડૉક્ટરે જણાવ્યા પ્રમાણે દાદાની હાલત હવે સ્થિર છે અને બે-ત્રણ દિવસમાં તેમને ડિસ્ચાર્જ મળી જશે.
ગઈ કાલે ડૉક્ટરોએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી જે નેગેટિવ હતી. તેમને તાવ પણ નથી, જે રાહતના સમાચાર છે. આજે ડૉક્ટરો ફરી તેમની તબિયત ચકાસીને આગળની ટ્રીટમેન્ટ વિશે ચર્ચા કરશે.