07 January, 2021 12:59 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
હળવા હાર્ટ-અટૅક બાદ શનિવારે હૉસ્પિટલમાં દાખલ થયેલા ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને આજે હૉસ્પિટલમાંથી રજા અપાશે. પહેલાં ગઈ કાલે જ રજા અપાવાની હતી, પણ મેડિકલ ટીમે વધુ એક દિવસ હૉસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો હતો. ઘરે પણ મેડિકલ ટીમ ગાંગુલીની નિરંતર વિઝિટ કર્યા કરશે.