પૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન બોલ્યા-ધોની વગર રમવાની આદત પાડે ભારતીય ટીમ

27 August, 2019 11:45 AM IST  |  મુંબઈ

પૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન બોલ્યા-ધોની વગર રમવાની આદત પાડે ભારતીય ટીમ

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં જ કશ્મીરમાં ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપીને પાછા ફર્યા છે. વેસ્ટ ઈંડીઝ પ્રવાસમાંથી રજા લેનાના ધોની હવે આવતા મહિને સાઉથ આફ્રિકાની સામે થનારી ટી20 સીરિઝમાં નજર આવી શકે છે. જો કે, એ સિલેક્શન સમિતિ પર નિર્ભર છે કે તે ધોનીને લઈને એક નિવેદન આપ્યું છે.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ભારતીય ટીમે ધોની વગર રમવાની આદત પાડવી પડશે. કારણ કે બે વાર વિશ્વ કપ વિજેતા કેપ્ટન હંમેશા નહીં રમે. ગાંગુલીએ કહ્યું કે ભારતીય ક્રિકેટે તેની આદત પાડવી પડશે. કારણ કે ધોની લાંબા સમય સુધી નહીં રમે. મારું માનવું છે કે આ નિર્ણય ધોનીએ જ લેવાનો છે.

સૌરવ ગાંગુલીએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે દરેક મોટા ખેલાડીએ સંન્યાસ લેવાનો હોય છે. આ જ રમત છે. ફુટબૉલમાં મેરાડોનાએ પણ સંન્યાસ લેવો પડ્યો. સચિન, લારા, સર ડૉન બ્રેડમેન...તમામે રમતને અલવિદા કહેવું પડ્યું. જો કે તેમણે કહ્યું કે અંતિમ નિર્ણય ધોનીએ જ લેવાનો છે.

આ પણ જુઓઃ ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

ધોનીએ ક્રિકેટમાંથી બે મહિના આરામ લીધો છે. ભારતીય સેનામાં લેફ્ટનેન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચુકેલા ધોની હાલમાં જ ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મૂ કશ્મીરમાં ડ્યૂટી પર હતા. જ્યાં તેઓ 15 ઑગસ્ટ સુધી સેના સાથે ડ્યૂટી પર થયા છે. જ્યાં તેઓ 15 ઑગસ્ટ સુધી સેના સાથે જોડાયેલા છે. આ પહેલા ચર્ચા હતી કે વનડે વિશ્વ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે.

ms dhoni sourav ganguly