ઘરમાં હોવા છતાં ઇન્ડિયા એક થઈને ઊભર્યું : સચિન તેન્ડુલકર

24 March, 2020 09:55 AM IST  |  Mumbai | Agencies

ઘરમાં હોવા છતાં ઇન્ડિયા એક થઈને ઊભર્યું : સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરે દરેક ભારતીયનો આભાર માનતાં કહ્યું હતું કે આપણે ઘરે હોવા છતાં એક હતા. નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કરફ્યુની જાહેરાત કરી હતી અને દરેકને ઘરમાં રહેવા માટે કહ્યું હતું. કોરોના વાઇરસથી બચવા માટે આ સ્ટેપ જરૂરી હતું અને ફક્ત રવિવારે જ નહીં, પરંતુ થોડા દિવસ માટે દરેકને ઘરમાં રહેવા માટે તેમણે અપીલ કરી હતી. રવિવારે જનતા કરફ્યુનું સન્માન કરતાં દરેક વ્યક્તિ ઘરે રહી હતી. આ વિશે સચિન તેન્ડુલકરે ટ્વીટ કર્યું હતું કે ‘આપણે ઘરમાં હોવા છતાં ઇન્ડિયા એકત્ર હતું. આપણે ઘરમાં હોવા છતાં કેટલીક વ્યક્તિ તેમની ડ્યુટી કરી રહ્યું હતું. હું એ દરેક વ્યક્તિનો આભાર માનું છું જેમણે તેમના પહેલાં આપણી હેલ્થને પ્રાધાન્ય આપ્યું. આપણે આજે જે પ્રમાણે ડિસિપ્લિન અને કમિટમેન્ટ દેખાડ્યું એને કન્ટિન્યુ રાખવું જરૂરી છે.’

sachin tendulkar cricket news sports news coronavirus covid19