બૅન્ગલોરને જીત માટે માત્ર કોહલી અને એબીડી પર આશા નહીં રાખી શકાય : મોઇન

19 November, 2019 12:58 PM IST  |  Mumbai

બૅન્ગલોરને જીત માટે માત્ર કોહલી અને એબીડી પર આશા નહીં રાખી શકાય : મોઇન

મોઇન અલી

(આઇ.એ.એન.એસ.) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના પ્લેયર મોઇન અલીનું કહેવું છે કે ટીમને જિતાડવા માટે ફક્ત વિરાટ કોહલી અને એ. બી. ડિવિલિયર્સ પાસે આશા નહીં રાખી શકાય. ઇન્ડિયન પ્રીમિયર લીગની બાર સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર હજી સુધી એક પણ વાર ટાઇટલ પોતાને નામ નથી કરી શકી. તેમની ટીમમાં સ્ટાર્સ પ્લેયર્સ હોવા છતાં તેઓ એનાથી દૂર છે. આગામી સીઝનમાં બે ફૉરેન પ્લેયર્સમાં ઇંગ્લૅન્ડના ઑલ-રાઉન્ડર મોઇન અલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

આ વિશે વધુ જણાવતાં મોઇન અલીએ કહ્યું હતું કે ‘અમને એક સારી શરૂઆતની જરૂર છે. અમને હંમેશાં ધીમી શરૂઆત મળી છે. અમારે ખાસ કરીને બૅન્ગલોરમાં સારો દેખાવ કરવાની જરૂર છે, કારણ કે ત્યાંની વિકેટ સારી છે. ત્યાંની બાઉન્ડરી પણ નાની છે અને એથી બોલર માટે મુશ્કેલી બની શકે છે. ટીમને જિતાડવા માટે ફક્ત વિરાટ અને ડિવિલિયર્સ પાસે આશા નહીં રાખી શકાય. હું અને મારા જેવા અન્ય પ્લેયર્સે પણ આગળ આવી જવાબદારી ઉપાડવી પડશે.’

cricket news indian premier league virat kohli ab de villiers