હિટમેન રોહિત શર્માની નજર હવે ટી20 સિરીઝ જીતવા પર છે

09 November, 2019 11:40 AM IST  |  Mumbai

હિટમેન રોહિત શર્માની નજર હવે ટી20 સિરીઝ જીતવા પર છે

રોહિત શર્મા

(આઇ.એ.એન.એસ.) બાંગ્લાદેશ સામેની બીજી મૅચ જીતીને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૧-૧ની બરાબરીએ પહોંચી છે. આ મૅચમાં કૅપ્ટન રોહિત શર્મા જે પ્રમાણે રમ્યો હતો એ ખરેખર પ્રશંસનીય હતું. જોકે આ મૅચમાં મહા વાવાઝોડાને કારણે વરસાદ પડવાની પણ ભીતિ હતી, પરંતુ એમ ન થતાં કન્ડિશન સારી રહી અને રોહિત સારી ઇનિંગ રમી શક્યો.

રોહિતે વાતાવરણનો ફાયદો લઇને મેચ જીતાડી
મૅચ વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘મને ખબર હતી કે બૅટિંગ માટે આ ટ્રેક સારો છે. હા, જ્યારે ત્યાં ઝાકળ પડે છે ત્યારે બોલરને ઘણી તકલીફ પડે છે અને હું એનો જ ફાયદો ઉપાડું છું. મને ખબર હતી કે કન્ડિશન પર્ફેક્ટ છે, બસ મારે ટકીને રમવાનું હતું. વળી થોડા દિવસમાં વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ પણ આવી રહી છે.’

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

રોહિતે બોલરોની કરી પ્રશંસા
આ ઉપરાંત રોહિતે મૅચમાં પ્લેયરોએ કરેલી બોલિંગની પણ ભારોભાર પ્રશંસા કરી હતી. આવતી કાલે રમાનારી છેલ્લી ટી૨૦ મૅચ જીતીને ભારત આ સિરીઝ પોતાના નામે કરવાની તૈયારી ધરાવે છે.

cricket news rohit sharma team india