16 June, 2020 09:18 AM IST | Hyderabad | Agencies
મોહમ્મદ અઝહરુદ્દીન
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનનું કહેવું છે કે જો મને તક મળે તો હું ઇન્ડિયાનો કોચ બનવા તૈયાર છું. રવિ શાસ્ત્રી હાલમાં ઇન્ડિયાનો હેડ કોચ છે અને તેનો કૉન્ટ્રૅક્ટ ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે. ઇન્ડિયાના કોચ બનવા વિશે પૂછતાં અઝહરુદ્દીને કહ્યું હતું કે ‘હા, હું કોચ બનવા તૈયાર છું. જો મને તક મળી તો હું આંખનો પલકારો ઝબકાવ્યા વિના એને ઝડપી લઈશ. આજે લોકો ઘણી ટીમને કમ્પેર કરી રહ્યા છે એ જોઈને મને નવાઈ લાગે છે. ઉદાહરણ તરીકે બૅટિંગ અને ફીલ્ડિંગ મારી સ્પેશ્યલિટી છે એથી જો હું કોઈ પણ ટીમનો કોચ બન્યો તો મારે બૅટિંગ કોચની જરૂર નથી.’