રણજી ટ્રોફી ફાઈનલ: વિદર્ભ જીતથી 5 વિકેટ દૂર, સૌરાષ્ટ્ર 58/5

06 February, 2019 07:14 PM IST  | 

રણજી ટ્રોફી ફાઈનલ: વિદર્ભ જીતથી 5 વિકેટ દૂર, સૌરાષ્ટ્ર 58/5

રણજીની ફાઈનલ વિદર્ભના પક્ષમાં

વિદર્ભના સ્ટાર સ્પિન બોલર આદિત્ય સરવટે ફરી એકવાર તેની ઘાતક બોલિંગથી સૌરાષ્ટ્રને મુશ્કેલીમાં મુક્યું છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે 206 રનનો પીછા કરતા માત્ર 58 રનના સામાન્ય સ્કોરે 5 વિકેટ ગુમાવી છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન વિદર્ભ આ જીત થી માત્ર 5 વિકેટ દૂર છે જ્યારે સૌરાષ્ટ્રને ફાઈનલ જીતવા માટે હજૂ 148 રન બાકી છે.

રણજી ટ્રોફીની ફાઈનલમાં વિદર્ભે 55 રને 2 વિકેટ સાથે ચોથા દિવસની શરુઆત કરી હતી અને 200 રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી. 200 રન અને 5 રનની લીડ સાથે સૌરાષ્ટ્રને 206 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેના જવાબમાં સૌરાષ્ટ્ર 58 રને 5 વિકેટ ગુમાવી ચૂકી છે. સૌરાષ્ટ્રનો બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ફરી એકવાર નિષ્ફળ ગયો હતો. આ સિવાય સ્નેલ પટેલ પણ 12 રનના સામાન્ય સ્કોરે આઉટ થયો હતો. હાલ ક્રીઝ પર વિશ્વરાજ જાડેજા 23 રને અને કમલેશ મકવાણા 2 રન બનાવીને રમી રહ્યાં છે. વિદર્ભ તરફથી સરવટેએ 3 વિકેટ ઝડપી હતી આ સિવાય ઉમેશ યાદવ અને અક્ષય વઘારેએ 1-1 વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચો: IND VS NZ: T-20માં અત્યાર સુધીની સૌથી મોટી હાર

 

રણજીની ફાઈનલ વિદર્ભના પક્ષમાં રહી છે. મેચનો પાંચમો દિવસ મહત્વનો રહેશે . વિદર્ભ 5 વિકેટ ઝડપીને ફરી એકવાર ટાઈટલ જીતવા ઈચ્છશે જ્યારે સૌરાષ્ટ્રની ટીમ મક્કમ બેટિંગના આશરે જીત તરફ આગળ વધશે.