ઍબ્ડૉમેન પર બૉલ વાગતાં અમ્પાયર ઈજાગ્રસ્ત

11 March, 2020 12:10 PM IST  |  Rajkot

ઍબ્ડૉમેન પર બૉલ વાગતાં અમ્પાયર ઈજાગ્રસ્ત

ઓત્તેરીકી... : બૉલ વાગતાં ઇન્જર્ડ થયેલા અમ્પાયર સી. શમશુદ્દીન.

રણજી ટ્રોફીની ફાઇનલ મૅચમાં ઑનફીલ્ડ અમ્પાયર તરીકે ફરજ બજાવી રહેલા સી. શમશુદ્દીનને લોઅર ઍબ્ડૉમેન પર બૉલ લાગતાં ઈજા પામ્યા હતા. ઈજાને કારણે તેઓ મૅચના બીજા દિવસે ફીલ્ડ પર અમ્પાયિંરગ કરવા આવી શક્યા નહોતા. 

દુખાવો વધી જતાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૅચના ત્રીજા દિવસે સી. શમશુદ્દીનનું સ્થાન યશવંત બર્ડે લેશે અને તેઓ અનંત પદ્‍મનાભન સાથે મળીને ઑનફીલ્ડ અમ્પાયરિંગ કરશે. મૅચના બીજા દિવસે પહેલા સેશનમાં અનંત પદ્‍મનાભન અને પીયૂષ ખાખરે સાથે મળીને અમ્પાયરિંગ કર્યું હતું, જ્યારે લંચ પછીના સેશનમાં એસ. રવિ અમ્પાયર તરીકે જોડાયા હતા. સી. શમશુદ્દીને ત્યારે ટીવી-અમ્પાયરની ફરજ બજાવી હતી.

આ પણ વાંચો : રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા હું મારું સૌથી બેસ્ટ આપીશ : જયદેવ ઉનડકટ

વાસ્તવમાં સી. શમશુદ્દીનનું ધ્યાન ન હોવાથી તેમને બૉલ વાગ્યો હતો. તેમના મેડિકલ રિપોર્ટ નૉર્મલ આવ્યા છે. જોકે તેઓ બાકીની મૅચમાં ભાગ નહીં લે.

ranji trophy cricket news sports news