11 May, 2021 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને કારણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ એ યુએઈમાં આયોજિત કરવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે યુએઈ સરકારે કોરોનાના કેસને કાબૂમાં રાખવા માટે પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકાથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો એથી એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પોતાને ત્યાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે પહેલાં સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે અને એ હાલના સંજોગોમાં મુશ્કેલ છે. એને જોતાં પાકિસ્તાને કરાચીમાં બાકી રહેલી મૅચો રમાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.