03 March, 2021 10:23 AM IST | New Delhi
જસપ્રીત બુમરાહ
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે અંગત કારણોસર ટીમ ઇન્ડિયાના બબલમાંથી બહાર જવાની રિક્વેસ્ટ કરી હતી જેને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા સ્વીકારી લેવાતા તે આગામી ટેસ્ટ નથી રમવાનો. જોકે હવે સમાચાર મળ્યા છે કે બુમરાહે આ રજા આરામ કરવા નહીં પણ લગ્નની તૈયારી કરવા માટે લીધી છે. બીસીસીઆઇએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું કે નજીકના દિવસોમાં બુમરાહ લગ્ન કરી શકે છે. જોકે તેના લગ્ન કોની સાથે, ક્યારે અને ક્યાં થવાના છે એ અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં નથી આવી.