એશિઝ શ્રેણી જેટલી જ મહત્વની ભારત સાથેની સિરીઝ છે : નૅથન લાયન

25 June, 2020 04:34 PM IST  |  Sydney | Agencies

એશિઝ શ્રેણી જેટલી જ મહત્વની ભારત સાથેની સિરીઝ છે : નૅથન લાયન

નૅથન લાયન

ઑસ્ટ્રેલિયન ઓફ સ્પિનર નૅથન લાયનનું કહેવું છે કે ભારત સાથેની સિરીઝ અને એશિઝ સિરીઝ એકબીજાની સમકક્ષ છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વર્ષના અંતમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી અંતર્ગત આમનેસામને મુકાબલો કરશે. આ વખતે ઑસ્ટ્રેલિયા ભારતને હરાવીને છેલ્લી સિરીઝની હારનો બદલો વાળવા ઉત્સુક છે. નૅથનનું કહેવું છે કે ‘તમે જ્યારે ઑસ્ટ્રેલિયા માટે રમો છો ત્યારે તમને હારવું જરાય ગમતું નથી. હા, પાછલી વખતે જ્યારે ભારતના પ્લેયર અહીં આવ્યા હતા ત્યારે તેઓ ઘણું સારું રમ્યા હતા, પણ આ વખતે અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ. આ સિરીઝ એશિઝ સિરીઝની સમકક્ષ છે એમ કહી શકાય, કેમ કે તેમની ટીમમાં એકથી એક સુપરસ્ટાર છે અને તેમની સાથે રમવાની મજા પણ આવશે. નવા પ્લેયર સાથે રમવા પણ હું આતુર છું. બીજી બાજુ જો બૉલ પર થૂંક લગાડવા નહીં મળે તો સ્પિનરોને તકલીફ થશે.’

india australia cricket news sports news