એમસીએમાં પવાર-શેલારની પૅનલે અમોલ કાળેને અપાવ્યો વિજય

21 October, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમસીએમાં ખજાનચીના હોદ્દા માટે થયેલી ચૂંટણીમાં પુનઃમતગણતરી ચાલુ હતી એ સમયે સૂત્રોના જણાવ્યા મુજબ કાળે (૧૮૩ મત)એ સંદીપ પાટીલ (૧૫૮)ને નજીવા માર્જિનથી હરાવવામાં સફળતા મેળવી હતી

ગઈ કાલે એમસીએના પ્રમુખ બન્યા બાદ અમોલ કાળે. તસવીર સમીર માર્કન્ડે

અમોલ કાળે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)માં ઉપ-પ્રમુખપદેથી હવે પ્રમુખપદે પહોંચી ગયા છે. તેમણે ગઈ કાલે ચૂંટણીમાં કટ્ટર હરીફ અને ૧૯૮૩ વર્લ્ડ કપના હીરો સંદીપ પાટીલને હરાવ્યા હતા.

અમોલ કાળેને એનસીપીના સર્વેસર્વા શરદ પવાર તથા બીજેપીના આશિષ શેલારની પૅનલે વિજય અપાવ્યો છે. એમસીએમાં ખજાનચીના હોદ્દા માટે થયેલી ચૂંટણીમાં પુનઃમતગણતરી ચાલુ હતી એ સમયે સૂત્રોના જણાવ્યા મુજબ કાળે (૧૮૩ મત)એ સંદીપ પાટીલ (૧૫૮)ને નજીવા માર્જિનથી હરાવવામાં સફળતા મેળવી હતી. ૩૪૩માંથી ૧૮૦ મત મળ્યા ત્યારથી જ કાળેના સમર્થકોએ તેમના વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી.

sports news sports cricket news sandeep patil mumbai cricket association ashish shelar sharad pawar