બુમરાહ સિરીઝમાં નહીં રમે

11 February, 2023 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં સારવાર લઈ રહ્યો છે

જસપ્રીત બુમરાહ

ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર છે. ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝમાંથી જસપ્રીત બુમરાહ બહાર થઈ ગયો છે. પહેલાં એવું કહેવાતું કે તે સાજો થઈ રહ્યો છે એથી ચાર પૈકી બે ટેસ્ટમાં રમી શકશે. હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં વાપસી કરશે. હાલમાં તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં સારવાર લઈ રહ્યો છે. તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી છે, પરંતુ ભારતીય ટીમ મૅનેજમેન્ટ બુમરાહને લઈને કોઈ જાતનું જોખમ ખડવા માગતું નથી એથી તેને સિરીઝમાંથી બહાર રાખવામાં આવી રહ્યો છે. 
આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે એથી વર્લ્ડ કપ માટે તેની હાજરી ભારત માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

sports sports news indian cricket team cricket news test cricket australia jasprit bumrah border-gavaskar trophy