12 May, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર પી સિંહ (ફાઇલ ફોટો)
ફૉર્મર ફાસ્ટ બૉલર અને 2007 ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય આરપી સિંહના પિતાનું કોરોનાને કારણે નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી તેમણે પોતે ટ્વીટ કરીને આપી છે. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ ઘણાં દિવસથી બીમાર હતા અને લખનઉના મેદાંતા હૉસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી હતી.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, "ખૂબ જ દુઃખ સાથે એ જણાવવું પડે છે કે મારા પિતા શિવ પ્રસાદ સિંહનું નિધન થઈ ગયું છે. તે કોરોનાને કારમે 12 મેના અમને બધાને છોડીને ચાલ્યા ગયા છે. હું તમને એ નિવેદન કરું છું કે તેમની આત્માની શાંતિ માટે દુઆ કરો. ઓમ શાંતિ ઓમ. રેસ્ટ ઇન પીસ."
કોરોનાએ છીનવ્યા બે અન્ય ક્રિકેટરોના પિતાનું જીવન
કોરોના વાયયરસ સતત ક્રિકેટરો અને તેમના પરિવારવાળાના જીવ લઈ રહ્યો છે. બે દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટર ટીમના અનુભવી લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં દાખલ હતા.
આ પેહલા રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતા ફાસ્ટ બૉલર ચેતન સકારિયાના પિતા ગયા રવિવારે કોવિડ-19ને કારણે મૃત્યુ પામ્યા. તેમના પિતા તાજેતરમાં જ કોવિડ પૉઝિટીવ હતા, જેના પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ પહેલા સકારિયાના ભાઈએ આત્મહત્યા કરી હતી. ચેતને છેલ્લા 5 મહિનામાં પોતાના ઘરના બે સભ્યો ગુમાવી દીધા.