31 December, 2020 04:43 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અઝહરુદ્દીન અને તેમની એક્સિડન્ટ થયેલી કાર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનની કારને રાજસ્થાનના સૂરવાલ વિસ્તારમાં ગઈ કાલે અકસ્માત થયો હતો, જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું તેના પર્સનલ અસિસ્ટન્ટે જણાવ્યું હતું.
એક ન્યુઝ ચૅનલના રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં લાલસોત-કોટા હાઇવે પર અઝહરુદ્દીનની કાર પલટી થઈ ગઈ હતી. અઝહરુદ્દીન રણથંભોરથી તેના પરિવાર સાથે પરત આવી રહ્યો હતો ત્યારે આ ઍક્સિડન્ટ થયો હતો, તેને મામૂલી ઈજા થઈ હતી. બાદમાં બધાને બીજી કારમાં એક હોટેલમાં લઈ જવાયા હતા.
મોહમ્મદ અઝહરુદ્દીને ૯૯ ટેસ્ટ રમવાની સાથે વન-ડે ઇન્ટરનૅશનલમાં પણ એક સમયે સૌથી વધુ રન બનાવ્યા હતા. ૧૯૯૨ અને ૧૯૯૯ વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો કૅપ્ટન હતો.