પુર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર અને પત્ની ફરગીન પર ફ્રોડનો લાગ્યો આરોપ

18 October, 2019 09:16 PM IST  |  Mumbai

પુર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર અને પત્ની ફરગીન પર ફ્રોડનો લાગ્યો આરોપ

પુર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર અને તેની પત્ની ફરહીન

Mumbai : ભારતના પુર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર અને તેની પત્ની પર ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે મનોજ પ્રભાકર અને તેમની પત્ની ફરહીન પર પોલીસ મથકે ફ્રોડનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મનોજ પ્રભાકરની પહેલી પત્ની સંધ્યા પ્રભાકરે ખોટી રીતે દિલ્હી સ્થિત ફ્લેટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. સંધ્યાએ બંને વિરૂદ્ધ માલવીય નગરમાં એફઆઈઆર નોંધાવી છે.


ફરિયાદ કરશે તો મનોજ પ્રભાકરે ધમકી પણ આપી હતી : સંધ્યા
તમને જણાવી દઇએ કે મનોજ માંજરેકરની પહેલી પત્ની સંધ્યા લંડનમાં રહે છે. તેણે આરોપ લગાવ્યો છે કે મનોજ અને ફરહીને ફરિયાદ કરવા પર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. સંધ્યાએ કહ્યું કે, ફરહીને તેને ફ્લેટ પાછો આપે તે માટે 1.5 કરોડની માંગ કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, પહેલા આ પારિવારિક મુદ્દો લાગી રહ્યો હતો પરંતુ તપાસ પછી ખબર પડી છે કે ફરહીનની તે સંપત્તિ પર નજર છે.


મનોજની પત્ની ફરહીન અભિનેત્રી રહી ચૂકી છે
ફરહીને તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પછી મુંબઈમાં શિફ્ટ થઇ હતી. અમુક હિન્દી ફિલ્મોમાં કામ કર્યા પછી તેણે બૉલીવુડ છોડી દીધું અને પ્રભાકર સાથે લગ્ન કર્યા હતા.

સંધ્યાના બીજા પતિએ ફ્લેટ ખરીદ્યો હતો
સંધ્યાના જણાવ્યા પ્રમાણે તેના બીજા પતિ દિવંગ્ત લક્ષ્મી ચાંદ પંડિતે 1995માં દિલ્હીના સર્વપ્રિયા વિહારમાં 7/18 બિલ્ડીંગમાં બીજા માળે ફ્લેટ લીધો હતો. મકાન લક્ષ્મી ચંડ પંડિતના નામે જ હતું. સંધ્યા તે ફ્લેટમાં 2006 સુધી રહી હતી. તે પછી તેનો ભાઈ ત્યાં રહેતો હતો. ભાઈ પછી તેનો એક મિત્ર ઓગસ્ટ 2018 સુધી ત્યાં રહેલો. તેમજ તેના પરિવારજનો અવારનવાર ફ્લેટનો ઉપયોગ કરતાં હતા.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

તાળું તોડીને કબ્જો લીધો: સંધ્યા
સંધ્યાએ આરોપ લગાવ્યો છે કે જુલાઈ 2019માં તેને તેના ભાઈથી ખબર પડી કે મનોજ પ્રભાકરે ગુંડાઓની મદદથી તાળું તોડીને કબ્જો લીધો હતો. મનોજ અને તેની પત્ની બે બાળકો સાથે આ બિલ્ડીંગમાં જ પહેલા માળે રહે છે. પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ શરૂ થઇ ગઈ છે.

cricket news