13 April, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા માઇકલ હસી.
શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ૫૯ બૉલ પહેલાં મૅચ જીતીને કલકત્તા ચેન્નઈને ૫૦ કે એથી વધુ બૉલથી હરાવનાર પહેલી ટીમ બની છે. પહેલી વાર ચેન્નઈને એક સીઝનમાં સળંગ પાંચ હારનો પણ સામનો કરવો પડ્યો છે.
વર્તમાન સીઝનમાં છમાંથી માત્ર એક મૅચ જીતનાર ચેન્નઈના બૅટિંગ કોચ માઇકલ હસીએ આ કંગાળ પ્રદર્શન છતાં ટીમની વાપસીની આશા વ્યક્ત કરી છે. મૅચ બાદ તેમણે કહ્યું કે ‘હારથી દુઃખ થયું છે. પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફની સાથે ફૅન્સ પણ શોકમાં છે. આવા સમયે ખબર પડે છે કે તમારા સાચા સમર્થકો કોણ છે, પરંતુ એનો અર્થ એ નથી કે વસ્તુઓ બદલાઈ શકતી નથી અને ઝડપથી બદલાઈ શકતી નથી. મને લાગે છે કે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ ખરેખર આ ટીમને પ્લેઑફમાં શક્ય એટલી નજીક લાવવાનો પ્રયાસ કરશે. અમને બહારથી ઘણી ટીકા મળશે, પરંતુ અંદરથી અમે ખરેખર મજબૂત રહીશું.’