30 March, 2020 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
એક તરફ કોરોના વાયરસ (COVID-19)ને લીધે આખા ભારત દેશમાં સંપુર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું છે અને બીજી તરફ કોરોના વાયરસના સંક્રમિત લોકોની દિવસેને દિવસે વધતી જ જાય છે. આ પરિસ્થિતિમાં દેશની મદદ કરવા માટે નેતા, અભિનેતા અને સ્પોર્ટસપર્સન બધા જ આગળ આવી રહ્યાં છે. PM Cares Fundમાં બધા પોતાનો ફાળો નોંધાવીને દેશ માટે યોગદાન આપ્યું છે. આ હરોળમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને તયેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા 'વિરુષ્કા' પણ જોડાઈ ગયા છે. વિરુષ્કાએ PM Cares Fundમાં અને 'મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલિફ ફંડ'માં ગુપ્તદાન કર્યું છે. ગુપ્તદાન એટલા માટે કારણકે તેમણે કેટલી રકમ દાન કર્યું એ જણાવ્યું નથી પરંતુ ટ્વીટર પર વિરાટ કોહલીએ દાન કર્યું હોવાની માહિતિ આપી હતી.
આ પણ જુઓ: કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન
વિરાટે ટ્વીટામં લખ્યું હતું કે, હું અને અનુષ્કા PM Cares Fund અને 'મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં અમારો સહકાર આપીયે છીએ. નાગરિકોનું દુ:ખ જોઈને અમારું હૃદય દ્રવી ઉઠે છે. અમે આશા રાખીએ કે આમરું યોગદાન સાથી નાગરિકોની પીડા હળવી કરવામાં મદદરૂપ થાય.
દેશની મદદ માટે શા માટે વિરુષ્કા આગળ નથી આવતા એવા પ્રશ્નો કરતા ફૅન્સના મોઢા પર આ પોસ્ટ જોયા પછી તાળા લાગી ગયા હતા.