ચેપોકનાં ત્રણ સ્ટૅન્ડ ફરી ખોલાશે

08 February, 2021 10:55 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચેપોકનાં ત્રણ સ્ટૅન્ડ ફરી ખોલાશે

પ્રતીકાત્મક તસવીર

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ ૧૩ ફેબ્રુઆરીથી એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં જ રમાવાની છે. ૨૦૧૨થી વિવિધ કારણસર બંધ રાખેલાં ત્રણ સ્ટૅન્ડ, ‘આઇ’, ‘જે’ અને ‘કે’ ફરી ખોલવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો. આ ત્રણેય સ્ટૅન્ડની કુલ મહત્તમ ક્ષમતા અંદાજે ૧૨,૦૦૦ જેટલી છે. ટીએનસીએએ જણાવ્યા પ્રમાણે આવતી કાલથી બીજી ટેસ્ટ મૅચ માટેની ટિકિટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે ટીએનસીએ અંદાજે ૧૫,૦૦૦ જેટલી ટિકિટ વેચવાની ગણતરી રાખે છે.

sports sports news cricket news chennai