13 August, 2020 02:13 PM IST | Mumbai Desk | Agencies
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને આશા છે કે ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૨૦૨૧ અને ૨૦૨૨માં પણ ટીમનો ભાગ રહેશે. આઇપીએલની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. એક મુલાકાતમાં વિશ્વનાથે કહ્યું કે ‘૨૦૨૦ અને ૨૦૨૧માં આપણે ધોનીને રમતા જોઈ શકીએ છીએ અને કદાચ ૨૦૨૨માં પણ આપણે તેને રમતો જોઈશું. મીડિયા પાસેથી જ મને જાણકારી મળી છે કે ધોની ઝારખંડમાં ઇન્ડોર નેટમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. જોકે અમને તેના ફૉર્મને લઈને કોઈ ચિંતા નથી. તેને પોતાની જવાબદારીઓની જાણ છે અને એ જવાબદારી તે યોગ્યપણે નિભાવશે એનો અમને ભરોસો છે.’