26 February, 2025 07:05 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
અહમદ શહઝાદ
પાકિસ્તાન માટે ૧૫૩ મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટર અહમદ શહઝાદે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં આ ૩૩ વર્ષનો ક્રિકેટર કહે છે, ‘લોકો કહે છે કે ટીમમાં એવી કોઈ સિસ્ટમ નથી જ્યાં પ્લેયર્સની પસંદગી પક્ષપાતના આધારે કરવામાં આવે, પરંતુ એ છે. અમે એ જોયું છે. અમે બધું જાણીએ છીએ. જ્યાં સુધી અમને લાગે નહીં કે તમે (ટીમ-મૅનેજમેન્ટ) સાચી દિશામાં જઈ રહ્યા છો ત્યાં સુધી અમે આખી દુનિયાને સત્ય જણાવીશું. પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત બાકી હતી એ ક્રિકેટ હતી. આજે, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા. મેં ક્યારેય મારી ટીમની આવી હાલત નથી જોઈ.’