પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત ક્રિકેટ બાકી હતી, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા : અહમદ શહઝાદ

26 February, 2025 07:05 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન માટે ૧૫૩ મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટર અહમદ શહઝાદે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

અહમદ શહઝાદ

પાકિસ્તાન માટે ૧૫૩ મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટર અહમદ શહઝાદે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં આ ૩૩ વર્ષનો ક્રિકેટર કહે છે, ‘લોકો કહે છે કે ટીમમાં એવી કોઈ સિસ્ટમ નથી જ્યાં પ્લેયર્સની પસંદગી પક્ષપાતના આધારે કરવામાં આવે, પરંતુ એ છે. અમે એ જોયું છે. અમે બધું જાણીએ છીએ. જ્યાં સુધી અમને લાગે નહીં કે તમે (ટીમ-મૅનેજમેન્ટ) સાચી દિશામાં જઈ રહ્યા છો ત્યાં સુધી અમે આખી દુનિયાને સત્ય જણાવીશું. પાકિસ્તાનમાં ફક્ત એક જ રમત બાકી હતી એ ક્રિકેટ હતી. આજે, એના પણ અંતિમ સંસ્કાર થઈ ગયા. મેં ક્યારેય મારી ટીમની આવી હાલત નથી જોઈ.’

champions trophy pakistan india international cricket council cricket news sports news sports