રાજકોટ : વરસાદની આગાહી વચ્ચે મૅચ રમાશે કે નહીં? એક મહાપડકાર

07 November, 2019 12:01 PM IST  |  Rajkot

રાજકોટ : વરસાદની આગાહી વચ્ચે મૅચ રમાશે કે નહીં? એક મહાપડકાર

રાજકોટ ખંડેરી સ્ટેડિયમ

(આઇ.એ.એન.એસ) ટીમ ઇન્ડિયા માટે આજની મૅચ ઘણી અગત્યની છે, જેમાં તેની સામે બે મોટા પડકાર છે. એક મૅચ જીતીને સિરીઝમાં જળવાઈ રહેવું અને બીજો પડકાર ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદ. ટીમ ઇન્ડિયાના પ્લેયરોની વાત કરીએ તો કૅપ્ટન રોહિત શર્માના મતે ટીમમાં કોઈ ફેરફર કરવાની જરૂર જણાતી નથી.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

જોકે આ નૉકઆઉટ રાઉન્ડને બદલે દ્વિપક્ષીય સિરીઝ હોવાને લીધે ભારતીય ટીમને ટેન્શન ઓછું છે, પણ એની સામેનો મહાપડકાર આ સિરીઝમાં જળવાઈ રહેવાનો છે જે માટે આજની મૅચ જીતવી જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા ‘મહા’ વાવાઝોડાની અસર ઓછી થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, પણ મૅચ વખતે વાદળાં કયા પ્રકારની ફીલ્ડિંગ ભરે છે અને વરસાદ વરસે છે કે નહીં એની ખબર તો મૅચ વખતે જ પડશે.

cricket news sports news rajkot Gujarat Rains