07 June, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતનો કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ, ગૌતમ ગંભીરે BCCI મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી (આશિષ રાજે)
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે બૅંગલુરુમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) ના ઉજવણી પછી રોડ શોના વિચારનો સખત વિરોધ કર્યો હતો. કારણ કે આ ઉજવણી દરિયાન સ્ટેડિયમની બહાર મોટી નાસભાગ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. ગૌતમ ગંભીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોનું જીવન વધુ મહત્ત્વપૂર્ણ છે અને આવી પરિસ્થિતિઓમાં જવાબદારી નિભાવવી જરૂરી છે.
ફ્રેન્ચાઇઝ દ્વારા સત્તાવાર પ્રકાશન મુજબ, બસ પરેડ સાંજે 5:00 વાગ્યે થવાની હતી. તેના બદલે, ઉજવણી એક દુ:ખદ ઘટનામાં ફેરવાઈ ગઈ કારણ કે ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 33 લોકો ઘાયલ થયા હતા. ઇવેન્ટના આયોજકો તપાસ હેઠળ આવ્યા હોવાથી ઘણા લોકોને નજીકની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવીનતમ વિકાસ અનુસાર, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અને DNA એન્ટરટેઈનમેન્ટ સામે પ્રથમ માહિતી અહેવાલ (FIR) દાખલ કરવામાં આવ્યો છે.
ભારતના ઇંગ્લૅન્ડ રવાના થતા પહેલા પત્રકાર પરિષદ દરમિયાન બોલતા, ભૂતપૂર્વ ભારતીય ઓપનરે દાવો કર્યો છે કે "હું ક્યારેય આ રોડ શોમાં વિશ્વાસ રાખતો નહોતો. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે પણ, અમે 2007 T20 WC જીત્યા હતા, મને રોડ શો કરાવવામાં રસ નહોતો. લોકોનું જીવન વધુ મહત્ત્વનું છે. બૅંગલુરુમાં જે પણ બન્યું તે ખૂબ જ દુ:ખદ હતું. હું હંમેશા રોડ શો ન કરાવવામાં વિશ્વાસ રાખું છું. આપણે આવા રોડ શો ન કરવા જોઈતા હતા. તમે 11 લોકોને ગુમાવી શકતા નથી. આપણે વધુ જવાબદાર હોવા જોઈએ."
"આપણે આ દેશના જવાબદાર નાગરિક છીએ" - ગૌતમ ગંભીર
ગંભીરે અભિપ્રાય આપ્યો કે જો અધિકારીઓ આટલી મોટી ભીડને સંભાળવા માટે તૈયાર ન હોત, તો આ ઘટના ન થવી જોઈતી હતી. અહેવાલ મુજબ તેમણે કહ્યું કે "હું કોઈને જવાબદાર ઠેરવનાર વ્યક્તિ નથી. મહત્ત્વની વાત એ છે કે, હું ક્યારેય રોડ શોમાં માનતો નહોતો. જીત અને ઉજવણી મહત્ત્વપૂર્ણ છે પણ તેનાથી પણ મહત્ત્વપૂર્ણ એ છે કે કોઈનું જીવન. જો આપણે આટલી ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો કદાચ આ રોડ શો ન પણ કરીએ. આપણે આ દેશના જવાબદાર નાગરિક છીએ અને આપણે આપણા બધા કાર્યોમાં તે દર્શાવવાની જરૂર છે." આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે હાઈ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. ભારતનો કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ, ગૌતમ ગંભીર, 2025 ના ઇંગ્લૅન્ડ પ્રવાસે જવા પહેલા BCCI મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.