29 December, 2020 03:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનના કમ્પાઉન્ડમાં ગઈ કાલે દિલ્હી ક્રિકેટ ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ (ડીસીડીએ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનવારણ હોમ મિનિસ્ટર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, શિખર ધવન, જેટલીના પુત્ર અને ડીસીડીએના અધ્યક્ષ રોહન જેટલી વગેરે મહાનુભવો હાજર હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે કે ભારતીય ક્રિકેટને અનેક દિગ્ગજ ક્રિકેટરો ઘડનાર સ્ટેડિયમમાં અરુણ જેટલીના સ્ટૅચ્યુનું અનાવરણ કરવાનો મને મોકો મળ્યો. જોકે જેટલીના આ સ્ટૅચ્યુનો ભૂતપૂર્વ લેજન્ડ ક્રિકેટર બિશન સિંહ બેદી ભારે વિરોધ કરી રહ્યા છે.