World cup 2019:પંત, રાયુડુ ,નવદીપ સૈની સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ

18 April, 2019 11:18 AM IST  | 

World cup 2019:પંત, રાયુડુ ,નવદીપ સૈની સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ

રિષભ પંત (ફાઈલ ફોટો)

સોમવારે જાહેર કરવામાં આવેલી ૧૫ મેમ્બરોની ભારતની વર્લ્ડ કપ ટીમમાં સિલેક્ટ ન થયેલા રિષભ પંત, અંબાતી રાયુડુ અને નવદીપ સૈનીને ભારતીય ક્રિકેટ ર્બોડે ગઈ કાલે સ્ટૅન્ડ-બાય ખેલાડીઓ એટલે કે સ્થાનાપન્ન ખેલાડીઓ જાહેર કર્યા હતા. વર્લ્ડ કપમાં જો કોઈ ખેલાડીને ઈજા થાય તો આ ત્રણમાંથી કોઈ ખેલાડીને જરૂર અનુસાર ઇંગ્લૅન્ડની ફ્લાઇટ પકડવાનું કહેવામાં આવશે.

ભારતના લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકરે પંતની અવગણનાને ‘આર્યજનક’ ગણાવ્યું હતું અને ભારતના વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે અંબાતી રાયુડુની અવગણનાને ખોટું ગણાવ્યું હતું. ત્ઘ્ઘ્ દરેક ટીમને ફાઇનલ ટીમ જાહેર કરવાનો મોકો આપશે એટલે ભારતીય ક્રિકેટ ર્બોડ પાસે ટીમમાં કોઈ ખેલાડી સામેલ કરવાની તક રહેશે. જોકે ર્બોડ આ ઑપ્શનનો ઉપયોગ કરે એની શક્યતા ઓછી છે.

આ પણ વાંચોઃરિષભ પંત એક પ્રેમાળ ભાઈ અને પરફેક્ટ પુત્ર

ખલીલ અહમદ, અવેશ ખાન અને દીપક ચહર ભારતની ટીમ સાથે નેટ બોલર તરીકે ઇંગ્લૅન્ડમાં ટ્રાવેલ કરશે એટલે જો કોઈ બોલરને ઈજા થશે તો ર્બોડ આ ત્રણ ખેલાડીમાંથી કોઈને સિલેક્ટ નહીં કરી શકે. ત્ભ્ન્ પૂરી થયા પછી યો-યો ટેસ્ટ યોજાશે અને એમાં જો કોઈ ખેલાડી ફેલ થશે તો તે વર્લ્ડ કપ નહીં રમી શકે.

 

cricket news team india sports news