પંડ્યા-રાહુલ વિવાદ પર કોહલીએ તોડ્યું મૌન, કહ્યું...

14 February, 2019 04:24 PM IST  | 

પંડ્યા-રાહુલ વિવાદ પર કોહલીએ તોડ્યું મૌન, કહ્યું...

કેપ્ટન વિરાટ કોહલી

આવતીકાલે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પહેલી મેચ રમાશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વન ડે રમાશે. જો કે આ વન ડેમાં હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ રમશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.

મેચના એક દિવસ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ આ બંને ખેલાડીઓના રમવા પર પ્રશ્નાર્થ લગાવી દીધો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે જો COA કહેશે તો જ પહેલી વન ડેમાં બંને રમશે. હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલની વિવાદિત કોમેન્ટ મામલે વિરાટ કોહલીએ આ નિવેદન આપ્યું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલી કહ્યું,'ભારતીય તરીકે અને ક્રિકેટર તરીકે હું તેમના નિવેદનો સાથે સહમત નથી. આ તેમના અંગત વિચાર છે.' કોહલીએ એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા તરીકે ડ્રેસિંગ રૂમમાં અમારું વર્તન નહીં બદલાય.

સાથે જ કોહલીએ સ્પષ્ટતા પણ કરી કે બંને સિડની વન ડેમાં રમશે કે નહીં તેનો નિર્ણય COAના નિર્ણય બાદ જ લેવાશે. ઉલ્લેખનીય છે કે COAના સભ્ય ડાયના એડલજીએ પ્રતિબંધ મામલે કાયદાકીય સલાહ લેવા આખો કેસ લીગલ સેલને સોંપ્યો છે. ડાયના એડલજીના નિર્ણય બાદ જ નક્કી થશે કે બંને ક્રિકેટર્સ પર બૅન લાગશે કે નહીં.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાએ વિવાદાસ્પદ નિવેદનને લઈ માગી માફી

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ટીવી શોમાં હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે ઈન્ટરવ્યુ આપ્યો હતો. શો દરમિયાન બંનેને અંગત જિંદગી અંગે સવાલ પૂછાયા. પંડ્યાએ આ દરમિયાન કેટલાક સવાલોના જવાબ આપ્યા. હાર્દિક પંડ્યાના રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ અંગેના સવાલના જવાબે ફેન્સને ચોંકાવી દીધા હતા. પંડ્યાએ કહ્યું હતું કે તેમનો પરિવાર બ્રોડ માઈન્ડેડ છે. તેમણે જ્યારે પહેલીવાર શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે જઈને કહ્યું હતું. હાર્દિક પંડ્યાના આ નિવેદન બાદ દેશભરમાંથી તેમની જબરજસ્ત ટીકા થઈ હતી. અને હાર્દિક પંડ્યાએ માફી માગવી પડી.

virat kohli team india hardik pandya kl rahul cricket news sports news