ધોનીના ભવિષ્ય પર ચર્ચા ન કરી શકાય, એ નિર્ણય માત્ર તેનો છે : યુવરાજ સિંહ

25 September, 2019 12:42 PM IST  |  નવી દિલ્હી

ધોનીના ભવિષ્ય પર ચર્ચા ન કરી શકાય, એ નિર્ણય માત્ર તેનો છે : યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ વિશે ચર્ચા ચાલી રહી છે છતાં ધોની પાસેથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં નથી આવ્યો. ધોનીના રિટાયરમેન્ટ વિશે યુવરાજ સિંહે પોતાના વિચાર વ્યકત કરતાં કહ્યું હતું કે ધોનીના ભવિષ્ય પર આપણે નિર્ણય ન કરી શકીએ. એ સંદર્ભનો નિર્ણય માત્ર તેનો છે.

મહેન્દ્ર સિંહ ધોની સાથે અનેક વાર મેદાનમાં રમી ચૂકેલા ધોનીના રિટાયરમેન્ટ પર યુવરાજે કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી તેના રિટાયરમેન્ટ પર આપણે વાત કરવી યોગ્ય નથી. એ માણસે ભારતીય ક્રિકેટ માટે ઘણું યોગદાન આપ્યું છે અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સફળ કૅપ્ટનમાંનો એક છે. મારા મતે રિટાયરમેન્ટ લેવી કે ન લેવી એ તેનો અંગત નિર્ણય છે. જો તેને હજી રમવું હોય તો આપણે તેના નિર્ણયને સ્વીકારવો જોઈએ.’

આ પણ વાંચો : ફ્રૅક્ચર આવતાં બુમરાહ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાંથી થયો આઉટ : ઉમેશ યાદવ લેશે જગ્યા

આ ઉપરાંત ધોની અને રિષભ પંતની સરખામણી વિશે પણ યુવરાજે કહ્યું હતું કે ‘ધોની અને પંતની સરખામણી ન કરી શકાય. કેમ કે ધોની બનવા માટે વર્ષો લાગી જાય છે અને પંતને હજી ઘણું આગ‍ળ જવાનું છે.’

yuvraj singh ms dhoni cricket news sports news