૨૦૧૧ના વર્લ્ડ કપને યાદ કરીને આજે પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે:સચિન

13 February, 2020 03:48 PM IST  |  Mumbai Desk

૨૦૧૧ના વર્લ્ડ કપને યાદ કરીને આજે પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે:સચિન

સચિન તેન્ડુલકરનું ઇન્ડિયન ટીમ માટે વર્લ્ડ કપ જીતવાનું સપનું ૨૦૧૧માં પૂરુ થયું હતું અને એ જીતને આજે પણ યાદ કરતાં તેનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. સચિને તેની કરીઅરમાં છઠ્ઠી વાર મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સી હેઠળ જીત મેળવી હતી. લૌરિયસ સ્પોર્ટિંગ મૂમેન્ટ ૨૦૦૦-૨૦૨૦ માટે વર્લ્ડ કપની જીતના એ કિસ્સાને પસંદ કરવામાં આવ્યો છે. એને વિનર બનાવવા માટે વિરાટ કોહલી અને યુવરાજ સિંહે પણ લોકોને અપીલ કરી છે. યુવરાજની ટ્વીટનો જવાબ આપતાં સચિને ટ્વીટ કર્યું હતું કે ‘યુવી, આ ઘટના ટીમ ઇન્ડિયાની સાથે દુનિયાભરમાં રહેલા તમામ ભારતીયો માટે હતી. ૨૦૧૧ વર્લ્ડ કપ જીત્યાનો કિસ્સો યાદ કરું તો આજે પણ એવું જ લાગે છે કે એ ગઈ કાલની વાત છે. એ રાત યાદ કરીને આજે પણ મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.’

sachin tendulkar sports sports news cricket news world cup 2011