સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું અને...

19 December, 2020 07:33 AM IST  |  Uttar Pradesh

સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું અને...

વાછરડાને દત્તક લીધું આ કપલે

આપણે ગાયને માતા માનીએ છીએ તો એના વાછરડાને પુત્ર ગણીને દત્તક કેમ ન લઈ શકાય એવું માનતાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને ૧૫ વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્તક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.

મુંડન માટે લાલટુબાબાને ગોમતી નદીને કિનારે લઈ જવાયો હતો, જ્યાં પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિથી તેની મુંડનવિધિ કરી લાલટુબાબા અને એનાં માતા-પિતાને આશીર્વાદ આપ્યા હતા. આ મુંડન-સમારોહમાં આસપાસના ગામના લોકોએ હાજરી આપી લાલટુબાબાને ભેટ અને આશીર્વાદ આપ્યા હતા.

વિજયપાલ જણાવે છે કે મેં હંમેશાં લાલટુબાબાનો ઉછેર મારા દીકરાની જેમ જ કર્યો હતો. મારા પિતાના મૃત્યુ અને બહેનોનાં લગ્ન પછી હું ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો.

મારા પિતાએ પાળેલી ગાયના વાછરડા લાલટુબાબાને મેં એના જન્મથી જ ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો એથી ગાય મૃત્યુ પામતાં અમે એના વાછરડાને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.

uttar pradesh offbeat news hatke news national news