મંદિરની બહાર બેસીને ડૉગી લોકોને આશીર્વાદ આપે છે

13 January, 2021 05:31 AM IST  |  Mumbai

મંદિરની બહાર બેસીને ડૉગી લોકોને આશીર્વાદ આપે છે

આ ડૉગી લોકોને આશીર્વાદ આપે છે

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક વિડિયો જોઈને સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વિડિયોમાં મંદિરની બહાર બેઠેલો એક શ્વાન બહાર નીકળી રહેલા ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે અને તેમની સાથે હાથ પણ મિલાવી રહ્યો છે.

આ વિડિયો સિદ્ધટેકના સિદ્ધિવિનાયક મંદિરનો હોવાનું જણાવાઈ રહ્યું છે. વિડિયો ફેસબુક પર અરુણ લિમડિયાએ શૅર કર્યો છે. અરુણે ફેસબુક પર બે વિડિયો શૅર કર્યા છે. વિડિયોમાં મંદિરના એક્ઝિટ ગેટ પર એક ડહૉગી બેઠો છે અને મંદિરમાંથી બહાર નિકળી રહેલા ભક્તોને પોતાનો પંજો ઉઠાવીને આશીર્વાદ આપી રહ્યો છે. લોકો આ શ્વાનના ફૅન થઈ ગયા છે.

વિડિયો જોયા બાદ ઘણા લોકોએ આ શ્વાનને જોવા માટે મંદિર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધટેકનું સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે અને રોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી ગણેશનાં દર્શન કરવા આવે છે.

mumbai news maharashtra offbeat news hatke news